Jhaverchand Meghani's Books

ઝવેરચંદ મેઘાણીનાં પ્રકાશનો


(દરેક સાહિત્ય-પ્રકાર માટે શીર્ષકના કક્કાવાર ક્રમમાં)

કોઈ પણ કૃતિની વધારે વિગત જોવા એ શીર્ષક પર ક્લિક કરો.



કવિતા


એકતારો

કર્તા: મેઘાણી, ઝવેરચંદ ભાષાઃ Gujarati સાહિત્ય પ્રકારઃ કવિતા
મેઘાણી માને છે કે ભજનના કાવ્યસ્વરૂપમાં "સનાતન તાકાત ભરી છે; ને એ શક્તિ કેવળ વૈરાગ્ય અને આધ્યાત્મિકતાનું જ નહિ પણ આત્મસમર્પણ, યુદ્ધ અને સામાજિક અવસ્થાની વિષમતાના આધુનિક ભાવોનું પણ ગંભીર વાહન બની શકે તેવી છે." આ સંગ્રહના વીસેક 'ભજનો' માં ભજનવાણીનાં ભાવલઢણ અને ઢાળલઢણ પકડવાનો કવિનો અભિગમ સારે અંશે વ્યક્ત થયો છે. પોતાના આ નવા વલણને અગ્રપદ આપવા માટે કવિએ 'એકતારો' નામ આ સંગ્રહને આપ્યું છે.


કિલ્લોલ

કર્તા: મેઘાણી, ઝવેરચંદ ભાષાઃ Gujarati સાહિત્ય પ્રકારઃ કવિતા
મેઘાણીની સ્વતંત્ર ગીતરચનાઓ સૌપ્રથમ 'વેણીનાં ફૂલ'નાં મુખ્યત્વે કિશોર-કિશોરીઓને ધ્યાનમાં રાખીને રચાયેલાં ગીતોમાં મળી. 'કિલ્લોલ'માં પંદરેક હાલરડાં અને બીજાં કુટુંબભાવના નિરૂપણનાં ગીતો છે. "પીડિતોના અવાજને અને રાષ્ટ્રાભિમાનની ભાવનાને છેડતાં મારાં કાવ્યો કરતાં 'વેણીનાં ફૂલ' ને 'કિલ્લોલ'નાં સુકુમાર ભાવગીતો મને પોતાને અધિક પ્રિય છે."


બાપુનાં પારણાં

કર્તા: મેઘાણી, ઝવેરચંદ ભાષાઃ Gujarati સાહિત્ય પ્રકારઃ કવિતા
કવિએ આ કાવ્યોમાં અગત્યના પ્રસંગોએ, એમના પોતાના જ શબ્દોમાં, "ગાંધીજીનાં વલણો, મંથનો અને આત્મવેદનાઓ કેવાંક હશે તેનું કેવળ પરલક્ષી અદાથી ... નિરૂપણ કર્યું છે."


યુગવંદના

કર્તા: મેઘાણી, ઝવેરચંદ ભાષાઃ Gujarati સાહિત્ય પ્રકારઃ કવિતા
પોતાનાં છૂટીછવાઈ ચોપડીઓમાં - 'સિંધુડો', 'કોઈનો લાડકવાયો અને બીજાં ગીતો', 'પીડિતોનાં ગીતો', વગેરેમાં - વેરાયેલાં ગીતોનો અને બીજાં નવાં રચાયેલાં ગીતો-કાવ્યોનો એકસામટો સંગ્રહ કવિએ 'યુગવંદના'માં મૂક્યો. "'યુગવંદના' નામ એ અર્થમાં અપાયું છે કે કોઈ ચિરંજીવી કાવ્યતત્ત્વથી પ્રેરાયેલ નહિ પણ ચાલુ કાળનાં જ બળોએ સ્ફુરાવેલાં સમયગીતો આમાં પ્રધાન સ્થાને છે..."


રવીન્દ્ર-વીણા

કર્તા: મેઘાણી, ઝવેરચંદ ભાષાઃ Gujarati સાહિત્ય પ્રકારઃ કવિતા
બંગાળી કાવ્યસંગ્રહ 'સંચયિતા'માં કવિવર ટાગોરે પોતે જ ચૂંટેલાં પોતાનાં કાવ્યોમાંથી કેટલાંકનું ગુજરાતીમાં અનુસર્જન. "... મૂળ કૃતિઓ, ગેય જેને ન કહી શકાય તેવી, છંદોવાહિની છે... મેં એ કૃતિઓને કાં તો સંસ્કૃત વૃત્તોમાં, કાં દેશી ગેય ઢાળોમાં અગર તો સાદા હરિગીતને ભાંગી ભાંગી ઘડેલી વિધવિધ લઢણોમાં ... વહેવા દીધેલ છે."


સમગ્ર મેઘાણી સાહિત્ય, ગ્રંથ 1 : સોના-નાવડી - સમગ્ર કવિતા

કર્તા: મેઘાણી, ઝવેરચંદ ભાષાઃ Gujarati સાહિત્ય પ્રકારઃ કવિતા
સમગ્ર મેઘાણી-સાહિત્યના પ્રકાશનના પહેલા પુસ્તક તરીકે લેખકની 50મી પુણ્યતિથિએ બહાર પડેલ અને કવિના નવ કાવ્યસંગ્રહોમાંનાં બધાં જ મૌલિક અને અનુસર્જિત કાવ્યોનો સમાવેશ કરતો ગ્રંથ.



જીવનચરિત્ર


Earthen Lamps

અનુવાદ: Meghani, Vinod ભાષાઃ English સાહિત્ય પ્રકારઃ જીવનચરિત્ર
ઝવેરચંદ મેઘાણીના 1946 મહિડા પારિતોષિક વિજેતા પુસ્તક 'માણસાઈના દીવા'નો અંગ્રેજી અનુવાદ. શ્રી રવિશંકર મહારાજના મહીપ્રદેશ વિસ્તારમાં વસતા ચોર-ડાકુમાં ખપતા માણસો સાથેના અનુભવોનું હૃદયસ્પર્શી વર્ણન.


Sant Devidas

અનુવાદ: Meghani, Ashok ભાષાઃ English સાહિત્ય પ્રકારઃ જીવનચરિત્ર
The story of an Eighteenth century saintly person who dedicated his life to the service of lepers whom the society and the family had cast out. A beautifully told story that will not fail to move the heart of any reader.


અંતર-છબિ [ઝવેરચંદ મેઘાણીનું સંકલિત આત્મવૃત્તાંત]

સંપાદન: હિમાંશી શેલત, વિનોદ મેઘાણી ભાષાઃ Gujarati સાહિત્ય પ્રકારઃ જીવનચરિત્ર
ઝવેરચંદ મેઘાણીએ આત્મકથા લખી નથી. પણ એમનાં લખાણો અને પત્રોમાં આત્મકથનાત્મક બયાનો ઘણીવાર દેખાયાં છે. એ બધાંમાંથી કાળજીથી ચૂંટેલાં અને સંક્ષેપાયેલાં વૃત્તાંતો આ ગ્રંથમાં લગભગ સળંગ આત્મકથાના સ્વરૂપે આપણને મળે છે.


દયાનંદ સરસ્વતી

કર્તા: મેઘાણી, ઝવેરચંદ ભાષાઃ Gujarati સાહિત્ય પ્રકારઃ જીવનચરિત્ર
આર્યસમાજ સંસ્થાના સ્થાપક અને ધર્મસુધારણા પાછળ સમગ્ર જીવન અર્પણ કરનાર મહર્ષિ દયાનંદ સરસ્વતીની જીવનકથા.


દરિયાપારના બહારવટિયા

અનુવાદ: મેઘાણી, ઝવેરચંદ ભાષાઃ Gujarati સાહિત્ય પ્રકારઃ જીવનચરિત્ર
ઇન્ગ્લૅન્ડના 'ધ સ્કૉટલૅન્ડ યાર્ડ'ના અમલદારે સ્વાનુભવે લખેલા અંગ્રેજી પુસ્તકમાંથી ચાર યુરોપી બહારવટિયાઓની વાત ગુજરાતીમાં.


પુરાતન જ્યોત

કર્તા: મેઘાણી, ઝવેરચંદ ભાષાઃ Gujarati સાહિત્ય પ્રકારઃ જીવનચરિત્ર
1928માં બહાર પડેલ 'સોરઠી સંતો' પછીની વધુ ત્રણ સંતકથાઓ 'પુરાતન જ્યોત'માં લેખકે 1938માં આપી.


માણસાઈના દીવા

કર્તા: મેઘાણી, ઝવેરચંદ ભાષાઃ Gujarati સાહિત્ય પ્રકારઃ જીવનચરિત્ર
મહીકાંઠાના બારૈયા કે પાટણવાડિયા કોમનાં ચોર-લૂંટારા અને ખૂની માની લેવાતા લોકો વચ્ચે કામ કરનારા શ્રી રવિશંકર મહારાજના જીવનપ્રસંગોનું આ પુસ્તક ખૂબ જ ખ્યાતિ પામ્યું છે અને છએક ભાષાઓમાં એના અનુવાદ થયેલા છે.


સોરઠી સંતો

કર્તા: મેઘાણી, ઝવેરચંદ ભાષાઃ Gujarati સાહિત્ય પ્રકારઃ જીવનચરિત્ર
સૌરાષ્ટ્રના પાંચાળ પ્રદેશના કેટલાક લોકસંતોની વાતો.



ટૂંકી-વાર્તા


પલકારા

કર્તા: મેઘાણી, ઝવેરચંદ ભાષાઃ Gujarati સાહિત્ય પ્રકારઃ ટૂંકી-વાર્તા
'પ્રતિમાઓ' પછી પોતે જોયેલાં બીજાં 6 ચલચિત્રો પર આધારિત અનુસર્જિત વાર્તાઓનો સંગ્રહ. આમાં સમાવેશ પામેલી વાર્તાઓ જે ચલચિત્રો પરથી લખાઈ તેઃ 'Topaze (1933)', 'Cradle Song (1933)', 'Eskimo (1933)', 'Dishonored (1931)', 'The Hatchet Man (1932)', and 'Viva Villa! (1934)'.


પ્રતિમાઓ

કર્તા: મેઘાણી, ઝવેરચંદ ભાષાઃ Gujarati સાહિત્ય પ્રકારઃ ટૂંકી-વાર્તા
1930ના ગાળામાં લેખકે જોયેલાં નવ અંગ્રેજી ચલચિત્રો પર આધારિત આ વાર્તાઓ 'સ્વતંત્ર' લઘુકથાઓ જેટલું જ માન મેળવી ચૂકી છે. એ નવ ચલચિત્રોઃ 'The Sin of Madelon Claudet (1931)', 'Back Street (1932)', 'The Man I Killed (1931)', 'Madame Butterfly (1932)', 'Seed (1931)', '20,000 Years in Sing Sing (1932)', 'Dr. Jekyll and Mr. Hyde (1931)', 'City Lights (1931)', and 'The Crowd (1928)'.


મેઘાણીની નવલિકાઓ, ખંડ 1-2

કર્તા: મેઘાણી, ઝવેરચંદ ભાષાઃ Gujarati સાહિત્ય પ્રકારઃ ટૂંકી-વાર્તા
1931થી 1942ના ગાળામાં લખાયેલી અને બીજા સંગ્રહોમાં પ્રકાશન પામેલી અને અપ્રગટ 'સ્વતંત્ર' ટૂંકી વાર્તાઓને 1942માં 'મેઘાણીની નવલિકાઓ'ના આ બે ખંડોમાં સંકલિત કરાઈ છે.


વિલોપન અને બીજી વાતો

કર્તા: મેઘાણી, ઝવેરચંદ ભાષાઃ Gujarati સાહિત્ય પ્રકારઃ ટૂંકી-વાર્તા
લેખકનો 'મેઘાણીની નવલિકાઓ' ખંડ 1-2 પછીનો ત્રીજો અને છેલ્લો નવલિકાસંગ્રહ. લેખકના મરણોત્તરની સંવર્ધિત 1951ની આવૃત્તિમાં સાતેક બીજી વર્તાઓ પણ સમાવી લેવામાં આવી છે. 'વિલોપન' વાર્તાને ઘણાં લેખકની સર્વોત્તમ નવલિકા માને છે.


સમગ્ર મેઘાણી સાહિત્ય, ગ્રંથ 3 : મેઘાણીની સમગ્ર નવલિકા

કર્તા: મેઘાણી, ઝવેરચંદ ભાષાઃ Gujarati સાહિત્ય પ્રકારઃ ટૂંકી-વાર્તા
ઝવેરચંદ મેઘાણીના મૌલિક વાર્તા-સંગ્રહોમાંની બધી નવલિકાઓ બે ગ્રંથની આ એકત્રિત આવૃત્તિમાં એકીસાથે સુલભ બને છે. આ ગ્રંથોમાં સમાવેશ પામેલી વાર્તાઓ લેખકનાં પુસ્તકો 'કુરબાનીની કથાઓ', 'જેલ-ઑફિસની બારી', 'પ્રતિમાઓ', 'પલકારા', 'મેઘાણીની નવલિકાઓ' (બે ખંડ), 'વિલોપન અને બીજી વાતો' ઉપરાંત બીજાં પુસ્તકોમાંથી આવે છે.



નવલકથા


Echoes from the Geers

અનુવાદ: Meghani, Vinod ભાષાઃ English સાહિત્ય પ્રકારઃ નવલકથા
This translation of a highly acclaimed Gujarati novel by Jhaverchand Meghani paints realistic and poignant pictures of the social, cultural and political conflicts of the 1920s-30s Kathiawad and the resulting contradictions. The author has woven in some of his own life's incidents in the story.


Fiançailles

અનુવાદ: Rasiwala, Moiz ભાષાઃ French સાહિત્ય પ્રકારઃ નવલકથા
ઝવેરચંદ મેઘાણીની 1938માં બહાર પડેલ ઘણી લોકપ્રિય નવલકથા 'વેવિશાળ'નો ફ્રેન્ચમાં અનુવાદ.


The Promised Hand

અનુવાદ: Meghani, Ashok ભાષાઃ English સાહિત્ય પ્રકારઃ નવલકથા
'Vevishaal', a highly popular social novel set in the 1930s, tells the story of two families from a small Kathiawad village. The parents make an agreement to wed their young children when of age. One family moves to Mumbai and becomes rich. The other stays in the village and remains poor. The story revolves around the devious efforts of the rich family to back out of the promised arrangement and the determination of their girl to stay with it.


અપરાધી

અનુવાદ: મેઘાણી, ઝવેરચંદ ભાષાઃ Gujarati સાહિત્ય પ્રકારઃ નવલકથા
અંગ્રેજ લેખક હૉલ કેઇનની સામાજિક નવલકથાને Isle of Man નામના ટાપુ પરની લીલાભૂમિ પરથી ઉઠાવી અને કાઠિયાવાડની ધરા પર બેસાડીને કરેલું આ અનુસર્જન છે.


કાળચક્ર

કર્તા: મેઘાણી, ઝવેરચંદ ભાષાઃ Gujarati સાહિત્ય પ્રકારઃ નવલકથા
'ઊર્મિ' માસિકમાં હપ્તાવાર જુલાઈ, ૧૯૪૬થી માર્ચ, ૧૯૪૭માં છપાયેલી અને લેખકના અવસાનથી અધુરી રહેલી આ નવલકથા બીજું વિશ્વયુદ્ધ, દુકાળ, ફુગાવો, કાળા બજાર, લોકક્રાંતિ, આઝાદ હિંદ ફોજ, વગેરેના વાતાવરણની વાર્તા છે.


ગુજરાતનો જય

કર્તા: મેઘાણી, ઝવેરચંદ ભાષાઃ Gujarati સાહિત્ય પ્રકારઃ નવલકથા
બે ક્ષત્રિય પિતાપુત્ર (લવણપ્રસાદ અને વીરધવલ વાઘેલા), બે વણિક ભાઈઓ (વસ્તુપાલ અને તેજપાલ) અને એક બ્રાહ્મણ (સોમેશ્વર) એ પાંચે સાથે મળીને બારમી-તેરમી સદીમાં સિદ્ધ કરેલા ગુર્જરદેશના પુનરુદ્ધારની આ ઐતિહાસિક પ્રબંધોના આધાર પર રચેલી નવલકથા છે.


તુલસી-ક્યારો

કર્તા: મેઘાણી, ઝવેરચંદ ભાષાઃ Gujarati સાહિત્ય પ્રકારઃ નવલકથા
1939-40માં 'ફૂલછાબ'માં ચાલુ વાર્તા લેખે પ્રગ્ટ થયેલી આ સામાજિક નવલકથામાં એક બ્રાહ્મણ કુટુંબનો સંસાર આલેખાયો છે.


નિરંજન

કર્તા: મેઘાણી, ઝવેરચંદ ભાષાઃ Gujarati સાહિત્ય પ્રકારઃ નવલકથા
'નિરંજન' એ લેખકની પહેલી મૌલિક સામાજિક નવલકથા 'જન્મભૂમિ' દૈનિકમાં ચાલુ વાર્તારૂપે છપાયેલી.


પ્રભુ પધાર્યા

કર્તા: મેઘાણી, ઝવેરચંદ ભાષાઃ Gujarati સાહિત્ય પ્રકારઃ નવલકથા
બીજા વિશ્વયુદ્ધ પહેલાં બ્રહ્મદેશમાં વસતા હિંદીઓ - ખાસ કરીને ગુજરાતીઓ - અને બ્રહ્મદેશીઓના સંસ્કાર-સંપર્કને આલેખતી આ એક કાલ્પનિક કથા છે. 1942માં જાપાની લશ્કરના હુમલા પછી ત્યાંથી થયેલી હિંદવાનોની હિજરતની ઐતિહાસિક ઘટનાનું હૃદયસ્પર્શી વર્ણન આ કૃતિમાં મળશે.


બીડેલાં દ્વાર

કર્તા: મેઘાણી, ઝવેરચંદ ભાષાઃ Gujarati સાહિત્ય પ્રકારઃ નવલકથા
અપ્ટન સિંક્લેરની 'Love's Pilgrimage' નામની સ્વાનુભવની કથાનુ ગુજરાતીમાં અનુસર્જન. આ નવલકથાની શરુઆત 'જન્મભૂમિ'માં હપ્તાવાર થઈ અને પછી બાકીની સળંગ લખાઈ. સંવનન, લગ્ન, ગર્ભાધાન અને પ્રસવની ક્રિયાઓનાં લજ્જાને કારણે બીડાઈ રહેલાં જ્ઞાન-દ્વારને નવપરિણીત યુવાનો માટે ખોલવાનો આમાં પ્રયાસ છે.


રા' ગંગાજળિયો

કર્તા: મેઘાણી, ઝવેરચંદ ભાષાઃ Gujarati સાહિત્ય પ્રકારઃ નવલકથા
મેઘાણીની આ ઐતિહાસિક નવલકથા જુનાગઢના રા' માંડળિક (ઈસવીસન 1433-1473)ના મધ્યાહ્ન અને અધોપતનની વાતની આસપાસ રચાયેલી છે.


વસુંધરાનાં વહાલાં-દવલાં

કર્તા: મેઘાણી, ઝવેરચંદ ભાષાઃ Gujarati સાહિત્ય પ્રકારઃ નવલકથા



વેવિશાળ

કર્તા: મેઘાણી, ઝવેરચંદ ભાષાઃ Gujarati સાહિત્ય પ્રકારઃ નવલકથા



સત્યની શોધમાં

અનુવાદ: મેઘાણી, ઝવેરચંદ ભાષાઃ Gujarati સાહિત્ય પ્રકારઃ નવલકથા
અમેરિકન ચિંતક-લેખક અપ્ટન સિંક્લેરના પુસ્તક Samuel the Seeker પરથી અનુસર્જન. વસ્તુસંકલના અને વિચારણા મૂળ લેખકની છે પણ ભારતના સંસાર અને સમાજને બંધબેસતું ચિત્ર કરવાનો પ્રયત્ન અનુવાદકનો છે.


સમરાંગણ

કર્તા: મેઘાણી, ઝવેરચંદ ભાષાઃ Gujarati સાહિત્ય પ્રકારઃ નવલકથા
આ ઐતિહાસિક નવલકથા સોળમી સદીના ગુજરાતના એક સુલતાન મુઝફ્ફરની તવારીખની આસપાસ વણાયેલી છે. શૌર્ય અને કાયરતા, વફાદારી અને દગાબાજી, નીતિ અને સ્વાર્થવૃત્તિના ઘર્ષણની સાથે સૌરાષ્ટ્રની ધરતી પર ખેલાયેલા ભયંકર 'ભૂચર મોરી'ના યુધ્ધની આ કથા કોઈ પણ વાચકના મનને હચમચાવી દેશે.


સોરઠ, તારાં વહેતાં પાણી

કર્તા: મેઘાણી, ઝવેરચંદ ભાષાઃ Gujarati સાહિત્ય પ્રકારઃ નવલકથા
વીસમી સદીની શરુઆતના સૌરાષ્ટ્રના જનસમાજને એક વિશાળ ફલક પર આલેખવાની નેમ સાથે લખાયેલ આ સામાજિક નવલકથા 'જન્મભૂમિ' માટે હપ્તાવાર લખાયેલી. લેખકના શબ્દોમાં 'એજન્સી-પોલિસના એક જૂના કાળના અમલદારના પુત્ર તરીકે મેં પોતે પીધેલા વાતાવરણની આ કથામાં ઊંડી છાયા પડી છે.'



નાટક


સમગ્ર મેઘાણી સાહિત્ય, ગ્રંથ 4 : મેઘાણીનાં નાટકો

અનુવાદ: મેઘાણી, ઝવેરચંદ ભાષાઃ Gujarati સાહિત્ય પ્રકારઃ નાટક
સમગ્ર મેઘાણી-સાહિત્યનો એક ગ્રંથ જેમાં અનુવાદિત અને મૌલિક નાટકોના ચાર પુસ્તકો 'રાણો પ્રતાપ', 'રાજા-રાણી', 'શાહજહાં' અને 'વંઠેલાં અને બીજી નાટિકાઓ'નો સમાવેશ થાય છે.



નિબંધ


લોકસાહિત્યનું સમાલોચન

કર્તા: મેઘાણી, ઝવેરચંદ ભાષાઃ Gujarati સાહિત્ય પ્રકારઃ નિબંધ
જુલાઈ 1943માં મુંબઈ યુનિવર્સિટી્ની ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં આપેલાં લોકસાહિત્ય પરનાં અતિ લોકપ્રિય થયેલાં પાંચ વ્યાખ્યાનોનું આ પુસ્તક મુંબઈ યુનિવર્સિટીએ 1946માં પ્રગટ કરેલું.



પત્રો


લિ. હું આવું છું [ઝવેરચંદ મેઘાણીનું પત્રજીવન] : ખંડ 1-2

સંપાદન: વિનોદ મેઘાણી અને હિમાંશી શેલત ભાષાઃ Gujarati સાહિત્ય પ્રકારઃ પત્રો
ઝવેરચંદ મેઘાણીના કુટુંબીજનો, મિત્રો અને સાહિત્યકારો સાથેના પત્રવ્યવ્હારમાંથી ઉપસતું એમનું વ્યક્તિત્વ આ ગ્રંથોમાં સંગ્રહાયું છે.



પ્રવાસવર્ણન


સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં - સંયુકત આવૃત્તિ

કર્તા: મેઘાણી, ઝવેરચંદ ભાષાઃ Gujarati સાહિત્ય પ્રકારઃ પ્રવાસવર્ણન
લેખકે પગપાળા, ઘોડા અને ઊંટ પર, અને રેલગાડીમાં વર્ષો સુધી કરેલા સૌરાષ્ટ્રના પ્રવાસોનાં વર્ણન. "પ્રવાસનાં વર્ણનો... એ વ્યવસ્થિત ઇતિહાસ નથી, વ્યવસ્થિત ભૂગોળ નથી, કે વ્યવસ્થિત સમાજ વા સાહિત્યનું વિવેચન નથી; છતાં તે આ તમામ તત્ત્વોનો મનસ્વી સમુચ્ચય છે : ચિત્રકારની સુરેખ રંગપૂરણી જેવો નહિ, પણ સાંજસવારના આકાશમાં રેલાતી અસ્તવ્યસ્ત રેખાઓ સરીખો : અસ્તવ્યસ્ત, છતાંયે ગમે છે."



લેખો


સમગ્ર મેઘાણી સાહિત્ય, ગ્રંથ 14 : લોકસાહિત્ય - ધરતીનું ધાવણ : સંકલિત આવૃત્તિ

કર્તા: મેઘાણી, ઝવેરચંદ ભાષાઃ Gujarati સાહિત્ય પ્રકારઃ લેખો
મેઘાણીના લોકસાહિત્યના તુલનાત્મક અભ્યાસનું દોહન એમણે પુસ્તકોના પ્રવેશકો, બીજા લેખોમાં અને વ્યાખ્યાનોમાં આપેલું અને પાછળથી 'લોકસાહિત્ય - ધરતીનું ધાવણ' પુસ્તકના બે ગ્રંથોમાં એકત્રિત કરેલું. એ પુસ્તકોની સંકલિત આવૃત્તિ સમગ્ર સાહિત્યના આ ગ્રંથમાં મળે છે.


સમગ્ર મેઘાણી સાહિત્ય, ગ્રંથ 15 : લોકસાહિત્ય અને ચારણી સાહિત્ય

કર્તા: મેઘાણી, ઝવેરચંદ ભાષાઃ Gujarati સાહિત્ય પ્રકારઃ લેખો
સમગ્ર મેઘાણી સાહિત્યના આ ગ્રંથમાં લોકસાહિત્ય અને ચારણી સાહિત્ય પર આપેલાં ત્રણ મુખ્ય વ્યાખ્યાનો (જે પુસ્તકાકારે પ્રગટ થઈ ચૂકેલાં), અને બીજા 19 લેખો અને વ્યાખ્યાનો અહીં એકત્રિત થયેલાં છે. ઉપર નિર્દેશેલાં મુખ્ય વ્યાખ્યાનોઃ 'લોકસાહિત્યનું સમાલોચન (ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાન, 1941-42)'; 'લોકસાહિત્ય : પગદંડીનો પંથ (સ્વ. કમળાશંકર પ્રાણશંકર વ્યાખ્યાન, 1942)'; અને, 'ચારણો અને ચારણી સાહિત્ય (ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, 1942)'.


સમગ્ર મેઘાણી સાહિત્ય, ગ્રંથ 5 : પરિભ્રમણ : નવસંસ્કરણ, ખંડ 1-2

સંપાદન: જયંત મેઘાણી અને અશોક મેઘાણી ભાષાઃ Gujarati સાહિત્ય પ્રકારઃ લેખો
1925થી શરુ થયેલાં અને જુદાં જુદાં સામયિકોમાં છપાયેલાં વિવેચનાત્મક-આલોચનાત્મક લેખોનાં ત્રણ પુસ્તકો 1945-47માં બહાર પડેલાં. આ નવસંસ્કરણ ગ્રંથો વધારે વિસ્તૃત સ્વરૂપે એ જ અને વધુ લેખોના સંગ્રહો છે.



લોકકથા


Folk Tales from the Bard's Mouth

અનુવાદ: Meghani, Ashok ભાષાઃ English સાહિત્ય પ્રકારઃ લોકકથા
Ten stories as told by professional storytellers of Kathiawad with an attempt to present them in their original style. Also included are two scholarly treatises tracing the origins of these stories, the techniques used to maintain the audience's interest and to keep the story flowing. Similarities with the storytelling from other provinces in India, as also in the Western world.


Oral Traditions of Saurashtra: I - A Noble Heritage

અનુવાદ: Meghani, Vinod ભાષાઃ English સાહિત્ય પ્રકારઃ લોકકથા
English translations of selected stories of heroism, sacrifice and integrity based on the folklore of the Saurashtra region of Gujarat.


Oral Traditions of Saurashtra: II - The Shade Crimson

અનુવાદ: Meghani, Vinod ભાષાઃ English સાહિત્ય પ્રકારઃ લોકકથા
English translations of selected stories of heroism, sacrifice and integrity based on the folklore of the Saurashtra region of Gujarat.


Oral Traditions of Saurashtra: III - A Ruby Shattered

અનુવાદ: Meghani, Vinod ભાષાઃ English સાહિત્ય પ્રકારઃ લોકકથા
English translations of selected love legends based on the folklore of the Saurashtra region of Gujarat.


કંકાવટી

કર્તા: મેઘાણી, ઝવેરચંદ ભાષાઃ Gujarati સાહિત્ય પ્રકારઃ લોકકથા
ગુજરાત-સૌરાષ્ટ્રમાં પળાતાં વ્રતો વિશેની લોકકથાઓ બે જુદાં પુસ્તકોમાં પ્રગટ થયેલી અને 1984થી એક પુસ્તકમાં સંયોજાયેલી.


દાદાજીની વાતો

કર્તા: મેઘાણી, ઝવેરચંદ ભાષાઃ Gujarati સાહિત્ય પ્રકારઃ લોકકથા
પેઢીઓ જૂની લોકવાર્તાઓ જેને વાર્તાકારો દ્વારા ફક્ત મૌખિક પ્રસારણ મળેલું તેમને એ જ શૈલીમાં પુસ્તકાકારે મૂકવાનો આ પહેલો પ્રયોગ.


રંગ છે, બારોટ!

કર્તા: મેઘાણી, ઝવેરચંદ ભાષાઃ Gujarati સાહિત્ય પ્રકારઃ લોકકથા
'દાદાજીની વાતો' પછી એ જ પ્રકારની વધુ લોકવાર્તાઓ મૂળ મૌખિક શૈલીમાં જ આ સંગ્રહમાં બહાર પડે છે.


સમગ્ર મેઘાણી સાહિત્ય, ગ્રંથ 10 : સોરઠી બહારવટિયા (સંકલિત આવૃત્તિ)

કર્તા: મેઘાણી, ઝવેરચંદ ભાષાઃ Gujarati સાહિત્ય પ્રકારઃ લોકકથા
1927-1929 દરમ્યાન બહાર પડેલાં ત્રણ પુસ્તકોની સંકલિત આવૃત્તિ સમગ્ર મેઘાણી સાહિત્યના ભાગ રૂપે. ઈસુની 15મી સદીથી 20મી સદીની પહેલી વીસી સુધીમાં કાઠિયાવાડની ભૂમિ પર ખેલાયેલાં બહારવટાંના કંઠસ્થ અને દસ્તાવેજી ઇતિહાસ પર આધારિત અને લેખકના સંશોધનથી પ્રમાણિત આ વાર્તાઓમાં બહારવટિયાના ચારિત્ર્ય, વીરધર્મ, નેકી, code of honor, વગેરે કાળી-ઉજળી બાજુની રજૂઆત થાય છે.


સમગ્ર મેઘાણી સાહિત્ય, ગ્રંથ 11 : લોકકથા સંચય

કર્તા: મેઘાણી, ઝવેરચંદ ભાષાઃ Gujarati સાહિત્ય પ્રકારઃ લોકકથા
મેઘાણીનાં ચાર પુસ્તકો 'ડોશીમાની વાતો', 'દાદાજીની વાતો', 'રંગ છે, બારોટ!' અને 'કંકાવટી'ને આવરી લેતો 'સમગ્ર મેઘાણી સાહિત્ય' શ્રેણીનો 11મો ગ્રંથ.


સમગ્ર મેઘાણી સાહિત્ય, ગ્રંથ 9 : સૌરાષ્ટ્રની રસધાર [સંકલિત આવૃત્તિ]

કર્તા: મેઘાણી, ઝવેરચંદ ભાષાઃ Gujarati સાહિત્ય પ્રકારઃ લોકકથા
1923થી 1927માં મૂળ પાંચ ભાગમાં બહાર પડેલી અને પછી સમગ્ર મેઘાણી-સાહિત્યના એક ગ્રંથમાં સંકલિત શૌર્ય, સ્વાર્પણ, શીલ અને ઔદાર્યની આ વાર્તાઓ કંઠોપકંઠ સચવાયેલી પણ મહદ્‌ અંશે સત્ય ઘટનાઓ પર આધારિત કથાઓ છે.


સોરઠી બહારવટિયા, ભાગ 1-3

કર્તા: મેઘાણી, ઝવેરચંદ ભાષાઃ Gujarati સાહિત્ય પ્રકારઃ લોકકથા
1927-29ના ગાળામાં દરેક વર્ષે એક એમ ત્રણ પુસ્તકોમાં સૌરાષ્ટ્રના બહારવટિયાઓના જીવનપ્રસંગોની સત્ય ઘટનાઓની લોકવાણીમાંથી સંગ્રહાયેલી કથાઓ છે. પોતાને થયેલા અન્યાય સામે બળવો પોકારીને બહારવટે ચડેલા માણસોની બહાદુરી, ઈમાનદારી, નીતિમત્તા (અને ક્યાંક હીનતા પણ) આ કથાઓમાં પ્રમાણભૂત બયાનોમાંથી વર્ણવાઈ છે.


સૌરાષ્ટ્રની રસધાર, ભાગ 1-5

કર્તા: મેઘાણી, ઝવેરચંદ ભાષાઃ Gujarati સાહિત્ય પ્રકારઃ લોકકથા
સૌરાષ્ટ્રની ધરતી પર બની ગયેલી ઘટનાઓનાં શૌર્ય, દિલાવરી,સ્વાર્પણ અને પ્રેમની કથાઓ. એક-એક વરસના અંતરે બહાર પડેલાં આ પાંચ પુસ્તકોએ લોકસાહિત્યને શિષ્ટ ગણાતા સાહિત્યનો જ દરજ્જો અપાવ્યો.



લોકગીત


ઋતુગીતો - લોકસાહિત્ય અને ચારણી સાહિત્યમાં

કર્તા: મેઘાણી, ઝવેરચંદ ભાષાઃ Gujarati સાહિત્ય પ્રકારઃ લોકગીત
"ઋતુ-સૌંદર્યનું દર્શન અને તેમાંથી થતું ઋતુગાનનું સર્જન એ ... આજકાલની વાત નથી, વેદકાળ જેટલી જૂની છે... સોરઠી-ગુજરાતી-ચારણી લોકસાહિત્યના એક વિશિષ્ઠ પ્રકાર તરીકે" સ્થાન ધરાવનાર ઋતુગીતોનું સંપાદન આ પુસ્તકમાં થયું છે.


ચૂંદડી - ગૂર્જર લગ્નગીતો

કર્તા: મેઘાણી, ઝવેરચંદ ભાષાઃ Gujarati સાહિત્ય પ્રકારઃ લોકગીત
ગુજરાતી-મારવાડી-પારસી મળીને 178 લગ્નગીતોના આ સંગ્રહમાં, સંપાદકના શબ્દોમાં, "લોકગીતોમાં ઘણું ચ્ડિયાતું સ્થાન રોકતો લગ્નગીતોનો પ્રદેશ બની શક્યું તેટલા શુદ્ધ સ્વરૂપમાં, અસલી તાલશબ્દને વફાદાર રહીને, અહીં રજૂ કરી શકાયો છે."


સમગ્ર મેઘાણી સાહિત્ય, ગ્રંથ 12 : રઢિયાળી રાત

કર્તા: મેઘાણી, ઝવેરચંદ ભાષાઃ Gujarati સાહિત્ય પ્રકારઃ લોકગીત
મેઘાણીએ 'રઢિયાળી રાત' (ખંડ 1-4) શીર્ષક નીચે 1925-26-27-42માં લોકગીતોના ચાર સંગ્રહો પ્રગટ કરેલા. સમગ્ર સાહિત્યના આ ગ્રંથમાં એ બધાં લોકગીતો ઉપરાંત બીજાં એમની નોંધપોથીમાંથી મળેલાં પણ 'રઢિયાળી રાત'માં ન લેવાયેલાં ગીતોને 1997ની બૃહદ્‌ આવૃત્તિમાં સમાવી દેવાયેલાં. એ કુલ 602 ગીતો સમગ્ર સાહિત્યના આ ગ્રંથમાં મળશે.


સમગ્ર મેઘાણી સાહિત્ય, ગ્રંથ 13 : લોકગીત સંચય

કર્તા: મેઘાણી, ઝવેરચંદ ભાષાઃ Gujarati સાહિત્ય પ્રકારઃ લોકગીત
સમગ્ર મેઘાણી સાહિત્યના ગ્રંથ 12માં 'રઢિયાળી રાત' નામ હેઠળ સંપાદિત લોકગીતો આવી ગયેલાં. એ પછી આ ગ્રંથમાં મેઘાણીનાં બીજાં લોકગીત સંપાદનો 'ચૂંદડી', 'હાલરડાં', 'ઋતુગીતો', 'સોરઠી ગીતકથાઓ' અને 'સોરઠિયા દુહાઓ'માનાં લોકગીતોનો આ સંચયમાં સમાવેશ થાય છે.


સોરઠિયા દુહા

કર્તા: મેઘાણી, ઝવેરચંદ ભાષાઃ Gujarati સાહિત્ય પ્રકારઃ લોકગીત
1947માં મેઘાણીના મૃત્યુથી અધુરી રહેલી અને પછી પૂરી થયેલી આ પુસ્તિકામાં 182 મુખ્યત્વે સોરઠી દુહાઓ અર્થ સાથે આપેલા છે.


સોરઠી ગીતકથાઓ

કર્તા: મેઘાણી, ઝવેરચંદ ભાષાઃ Gujarati સાહિત્ય પ્રકારઃ લોકગીત
સાડા ચારસો જેટલી "દુહે-સોરઠે સાંકળેલી સળંગ ધારાવાહી" સ્વરૂપે ગોઠવેલી તેર ગીતકથાઓ.


હાલરડાં

કર્તા: મેઘાણી, ઝવેરચંદ ભાષાઃ Gujarati સાહિત્ય પ્રકારઃ લોકગીત
આ પુસ્તિકામાં સોરઠી-ગુજરાતી ઉપરાંત પારસી, હિંદી, મરાઠી અને સંસ્કૃત હાલરડાં છે. લોકગીતોનાં હાલરડાંની સાથે મેઘાણી-રચિત 11 હાલરડાં પણ ઉમેરેલાં છે. "બાળકને તાલ આપો, એ સંગીતનું તરસ્યું છે. જનેતાઓનાં જીવનમાં છેક ગર્ભાધાનથી જ કવિતાનાં સીંચન શરુ કરી દ્યો. એને કંઠે કૂણાં, મીઠાં, કલ્પના-નીતરતાં હાલરડાં રેડીને એના બોજારૂપ બનેલા જીવનમાં આનંદ પ્રગટાવો..."



સંતસાહિત્ય


મેઘાણી સમગ્ર સાહિત્ય, ગ્રંથ 17 : સોરઠી સંતો અને સંતવાણી

કર્તા: મેઘાણી, ઝવેરચંદ ભાષાઃ Gujarati સાહિત્ય પ્રકારઃ સંતસાહિત્ય
સૌરાષ્ટ્રના લોકસંતોની કથાઓનાં બે પુસ્તકો 'સોરઠી સંતો' અને 'પુરાતન જ્યોત' ઉપરાંત ભજનસંગ્રહ 'સોરઠી સંતવાણી' આ ગ્રંથમાં સમાવાયાં છે. સંતવાણી વિશેના એમના ચાર લેખો અને બીજાં લોકસાહિત્ય-સંશોધનને લગતાં પુસ્તકોમાંથી સંતો અને સંતવાણી વિશેનાં અંશો પણ લેવાયાં છે.



સંશોધન


ચારણો અને ચારણી સાહિત્ય

કર્તા: મેઘાણી, ઝવેરચંદ ભાષાઃ Gujarati સાહિત્ય પ્રકારઃ સંશોધન
'ચારણો અને ચારણી સાહિત્ય' વિષય પર ગુજરાત વર્નાક્યુલર સોસાયટી સમક્ષ જાન્યુઆરી 1942માં લેખકે આપેલા વ્યાખ્યાનને વિસ્તારીને તૈયાર કરેલું પુસ્તક.


પરકમ્મા

કર્તા: મેઘાણી, ઝવેરચંદ ભાષાઃ Gujarati સાહિત્ય પ્રકારઃ સંશોધન
લોકસાહિત્યના સંશોધનકાર્ય દરમ્યાન મેઘાણીએ રાખેલ નોંધોમાંથી એમના 25 વર્ષના અનુભવોની અને એમનાં લોકસાહિત્ય સંગ્રહો પર નવું અજવાળું નાખતી વિગતો 'ઊર્મિ' માસિકમાં 'ટાંચણપોથીનાં પાનાં' લેખમાળામાં પ્રથમ પ્રકાશિત થયેલી.


લોકસાહિત્ય - પગદંડીનો પંથ

કર્તા: મેઘાણી, ઝવેરચંદ ભાષાઃ Gujarati સાહિત્ય પ્રકારઃ સંશોધન
મેઘાણીએ જાન્યુઆરી 1942માં સૂરતમાં સ્વ. કમળાશંકર પ્રાણશંકર વ્યાખ્યાનમાળામાં આપેલું વ્યાખ્યાન 'પગદંડીને પંથે : લોકસાહિત્ય' 1942માં પુસ્તકાકારે પ્રગટ થયેલું. એમાં લેખકના પુસ્તક 'છેલ્લું પ્રયાણ'માંથી પાંચ લોકસાહિત્ય વિષયક લેખો ઉમેરીને બનાવેલી સંવર્ધિત આવૃત્તિ 1986માં બહાર પડી. "... કહી શકાય કે શિષ્ટ લોકોત્તર સાહિત્ય એ ધોરી સડકનો માર્ગ છે, ને પ્રાકૃત જનોનું કંઠસ્થ લોકસાહિત્ય છે પાતળીસાંકડી પગદંડી."


 JHAVERCHAND MEGHANI - Reader's Comments

પ્રતિભાવો
COMMENTS


 2023-09-18 --- અશોક મેઘાણી
હુસેનભાઈ, મેં આ કામ સંભાળતા લોકોને meghani125.com વિશે જાણ કરી છે. હવે તો રાહ જોવાની રહી.

2023-09-12 --- HUSEN ODIYA
hello,
તમારી કામગીરી બદલ હું તમને શુભેચ્છ। પાઠવું , આ web site માટે જેટલો આભાર માનિયે એટલો ઓછો છે.

એક વાત તરફ તમારી નઝર દોરવી હતી તમને ખબર હશેજ , તો પણ કહેયા વગર રેવાનું નઈ ,
તમારી બીજી website : -meghani125.com બંધ છે. જેટલું બને તેટલું જલ્દી ચાલુ કરવા વિંનંતી .

મારા થી કય ખોટું કેવાય ગયું હોય તો માફ કર જો.


2023-08-31 --- kirit anjesary
શરૂઆત માં તો શું લખું સાહેબ, શબ્દો જડતા નથી, વાહ રે, શું કલેક્શન છે, અદ્ભૂત.. દિલ ગાડ ગાડ થઈ ગયું, મેઘાણી સાહેબ વિષે વધૂ માહિતી જોઈને, સાહિત્ય નું વિરાટ સ્વરૂપ, દરિયો છે સાહેબ, જેટલો ખૂંદીએ એટલો ઓછો પડે, પણ તમારી મહેનત અને લગનને સલામ કરું છું, બસ આમ જ આગળ વધો અને દરેકને આ સુંદર માહિતી ઉપલબ્ધ કરાવી છે, વળી અવાજ વાહ.. કહેવું પડે ... તે માટે દિલથી ધન્યવાદ પાઠવું છું, મારુ ફેવરિટ તો હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ.. છે, અતિ સુંદર રચના..
ફરીથી આભાર...


2023-04-15 --- અશોક મેઘાણી
શ્રી સમીર જોષી,
વેબસાઇટના પ્રોગ્રામમાંની મારી ભૂલને લીધે આપનું ઈમેઇલ સરનામું મળ્યું નથી, એટલે ઈમેઇલથી જવાબ આપી શકતો નથી. એ ભૂલ હવે સુધારાઈ ગઈ છે. 1. ઝવેરચંદ મેઘાણીએ 90થી વધારે પુસ્તકો લખેલાં. એ બધાનાં નામ આપને ડાબી બાજુ આત્મવૃત્તાંત પર ક્લિક કરવાથી જોવા મળતી પુસ્તિકાના છેડે મળી શકશે. 2. PDF મોકલવાનું તો શક્ય નથી પણ મેઘાણીનાં ઘણાં પુસ્તકો તમે વેબસાઇટ meghani125.com પર જઈને એમના સમગ્ર સાહિત્યના ગ્રંથોમાં જોઈ શકશો.
અશોક મેઘાણી


2023-04-09 --- Samir B. Joshi
સાહેબ શ્રી
મારે આપની પાસે થી એક માહિતી જોઈએ છીએ કે રાષ્ટ્રીય સાયર ઝવેરચંદ મેઘાણી એ પોતાના જીવન દરમિયાન કેટલા પુસ્તકો લાખિયા છે જો શક્ય હોય તો આ ઇમેઇલ માં ઝવેરચંદ મેઘાણી ની લખેલ બુક નું pdf મોકલાવવા વિનંતી કરું છૂ
ગુજરાત દિવસ ના પ્રોજેક્ટ બનાવવો છે એટલા માટે આ અમૂલ્ય માહિતી મોકલાવવા વિનંતી
સમીર બી જૉષી


2023-04-09 --- Samir B. Joshi
સાહેબ શ્રી
મારે આપની પાસે થી એક માહિતી જોઈએ છીએ કે રાષ્ટ્રીય સાયર ઝવેરચંદ મેઘાણી એ પોતાના જીવન દરમિયાન કેટલા પુસ્તકો લાખિયા છે જો શક્ય હોય તો આ ઇમેઇલ માં ઝવેરચંદ મેઘાણી ની લખેલ બુક નું pdf મોકલાવવા વિનંતી કરું છૂ
ગુજરાત દિવસ ના પ્રોજેક્ટ બનાવવો છે એટલા માટે આ અમૂલ્ય માહિતી મોકલાવવા વિનંતી
સમીર બી જૉષી


2022-09-02 --- સોલંકી પ્રકાશકુમાર મનુભાઈ
ઝવેરચંદ મેઘાણી એટલે સાહિત્ય નું વિરાટ સ્વરૂપ જેમાં શબ્દોનો અનેક દરિયો છલકાતો ને નાની માનવી થી લઈને મોટા માનવીના મનને એના જીવનને સમજી એને

2022-09-02 --- સોલંકી પ્રકાશકુમાર મનુભાઈ
ઝવેરચંદ મેઘાણી એટલે સાહિત્ય નું વિરાટ સ્વરૂપ જેમાં શબ્દોનો અનેક દરિયો છલકાતો ને નાની માનવી થી લઈને મોટા માનવીના મનને એના જીવનને સમજી એને

2022-07-16 --- અશોક મેઘાણી
જે વાચકને મેઘાણીનાં પુસ્તકોને online વાંચવાની ઇચ્છા હોય તેમને http://www.meghani125.com પર જઈને મેઘાણી સમગ્ર સાહિત્યના પ્રકાશિત ગ્રંથો જોવા વિનંતિ છે.

2022-07-16 --- Nehal Trivedi
Website khub sares Mahiti male che
Pan sir aama meghaniji ni famous KRUTI PDF MA VACHVA MALE TO SARU

Thanks




2022-07-11 --- An admirer
Would love to see an English version...


2022-06-07 --- Jayeshsolanki
Jordar. Bija song muko.amazing person

2022-01-27 --- Shailesh M Shah
from where I can get PDF of Rang Chhe Barot, Ravindra veena and Li Hu Avyo chhu-letters

2022-01-23 --- અશોક મેઘાણી
જેશભાઈ, મેં ઈમેલ લખી છે એ જોવા વિનંતિ. સમગ્ર મેઘાણી સાહિત્યના તૈયાર ગ્રંથો www.meghani125.com પર જોઈ શકાય છે પણ જેમાં આપને જોઈતાં પુસ્તકો હશે તે જીવનચરિત્રોનો ગ્રંથ તૈયાર થઈ રહ્યો છે. થોડા સમયમાં બહાર પડતાં ઉપર દર્શાવેલી વેબસાઇટ પર જોવા મળશે. અશોક મેઘાણી

2022-01-23 --- Parmar Brijesh Haribhai
Zaverchand Meghani Saheb nu Pustak
Aniie besent ane Akbar nee yad ma aa banne pustako apni pase hoy to PDF mokalso


2021-12-03 --- Mitali dushyant bhai patel
મને આ જાણકારી ખુબ જ કામ લાગે છે.
હું એક વિદ્યાર્થી છું હું ઝવેરચંદ મેઘાણી ની
. 150મી જન્મજયંતી નિમિત્તે ઉજવામાં આવી
રહેલ છે. લો હું પણ આ કાર્યકમ માં કવિર્ઝ
માં રહેલ છે. તો મને મદદ ગાર લાગ્યું


2021-10-09 --- Kalavati shankarbhai patel
Rambha

2021-09-16 --- ગૌતમ બોરીસાગર
ધન્ય થયો એમનો અવાજ સંભાળીને! શેણી વિજાણંદ બહુજ સ્પષ્ટ સંભળાય છે. કાશ હજુ વધારે ઝવેરચંદજીના અવાજમાં એમની રચનાઓ સંભાળવાનું સદભાગ્ય મળ્યું હોત! ખુબ ખુબ આભાર!

2021-09-02 --- Nitendra G Mahajan
I am a fan of Kasumbi no rang and Mor bani thangat kare.

2021-09-02 --- Solanki Diya Narendra
I am solanki Diya Narendra

2021-06-23 --- Ashok Meghani
Dear Punitbhai,
You must have received my detailed response to your comment that also reached me by email. All information about the published English translations I sent you is also available under the પુસ્તકો page of this site.
Thanks for your interest, and I hope you find what you are looking for.
Ashok Meghani


2021-06-23 --- Punit Chaturvedi
I want to know from where and How can I get Books by Jhaverhand Meghaniji the great writer. Please help me in this. I am a big fan and have read one translation Sagai in Hindi. I can read Hindi or English.

2021-05-19 --- Ashok Meghani
Dear Krupaben Shah,
Thanks for your interest in Meghani.
Jhaverchand Meghani passed away in 1947, and under Indian Copyright Law, his copyright expired in 2007 (60 years after his death). No permission from anyone is required to publish any translation of his work.
Please feel free to publish the story. And, when your dissertation is published, I would be very much interested in reading it.
Ashok Meghani


2021-05-19 --- Ashok Meghani
Dear Nilnandan Joshi,
Due to a problem with program code, I did not get your email address to respond to. The two bookstores - LokMilap and Prasar - closed because of retirements but the online bookstore BookPratha.com is very much in business.


2021-05-11 --- Krupa Shah
Hello. I am a researcher based in Pondicherry and I worked on select texts of Jhaverchand Meghani for my doctoral dissertation and also translated one story called Hothal from Saurashtrani Rasdhar. I am currently interested in publishing my dissertation and also my English translation of this story. Would you kindly let me know whom I may contact for permission to publish the translation of this story? I am happy to share my translation for your assessment.

2021-04-29 --- Nilnandan Joshi
Namaskar,

I'm big fan of Meghaniji, He is Legend. Still his stories and poems are in our heart. Is it true that Meghani Sahitya Bhandar is in trouble to survive? Can we do any kind of help in that? then please let us know. Also, I can get all books from Amazon/Flipkart but is there any place from where I can purchase all the books and which will help to survive publications or that place?

Waiting for your feedback on this.

Thanks and Regards,


2021-03-18 --- વિપુલ કલ્યાણી
અણમોલ ખજાનો. સઘળું જોયું. અંતરનો રાજીપો. આ બધું રજૂ કરવા સારુ તમને, અશોકભાઈ, ખોબલે ખોબલે વધાવીએ.

2020-08-27 --- Dushyant Dalal
The Rasdhar ni Vartao were fascinated reading. What scholarly efforts must have been put in to pen such interesting stories.

I wish all the celebrations on his 124th birth anniversary are a true tribute to Shri Jhaverchand Meghani.


2020-08-26 --- Ashish Desai
Absolutely amazing website. Full of information. Loved it. I wish him happy 124th birthday! (Couple of days in advance)


2020-08-24 --- Ashok Meghani
Nitinbhai, sorry for the delay in this response. Please go to પ્રતિભાવ જણાવો and re-post your query making sure you provide your email address in the second box. I will email an English translation by the poet's late son Vinod Meghani. Your email address will not be displayed here. Thanks. Ashok

2020-05-10 --- Nitin Lakhani
Please can you inform me where I can obtain English translation of Zaverchands "Kasumbi No Rang?"

2020-03-21 --- RAJPUT INDRAJITSINH N.
so power of india meganiji is great and beast and i like shivaji nu halardu and ets of all if beast so useful in all world great and no option is other meghaniji all books is easeyli on market and media. i like meghani

2019-08-28 --- Patel harshad
123 મી જન્મજયંતિએ લાખ લાખ વંદન

2019-07-15 --- Shilpa Das
I have been a big admirer of Zaverchand Meghani and his vast corpus of literature since my school days in Ahmedabad since I had chosen Gujarati as a subject. The way he brings Saurashtra to life is simply astounding.

Thank you for this website and sharing with us.


2019-02-18 --- Anil
http://www.meghani.com/index.php?content=newcomment

2019-02-14 --- Sahil
Nice

2018-11-12 --- manish shah
very informative site about meghani

2018-10-11 --- Susmit vora
I would like to visit your book shop in bhavnagar.pl.send your address.tks.shvora

2018-08-13 --- Prafulkumar Rajatiya
ખૂબજ સરસ

મેઘાણીજી વિશેની માહિતી તથા તેની કૃતિઓ ની માહિતી એને આપણાં વચ્ચે જીવિત રાખશે. તદુપરાંત એના અવાજ ની મુકેલી ઓડીઓ ક્લિપ આજની પેઢીને મેઘાણીજી ને ઓળખવા માં ખૂબ જ મદદ કરશે કે ભારત માં એક એવા પણ સાહીત્યકાર થઈ ગયા છે જેને ગામડે ગામડે ફરી ને સંસ્કૃતિ તથા ઇતિહાસ ને જીવિત રાખ્યો છે.

આપની આ મહેનત ને પ્રણામ


2018-06-28 --- urmi
khub j saras mahitichhe

2018-01-20 --- P.Vasu
Very informative site.
You could consider publicizing in this ste the translations available of his works


2017-08-31 --- Sagar zankat
Saro

2017-08-13 --- Dhiraj mali
I like


2017-07-06 --- Avi patel
Jhaverchand Meghani

2017-07-05 --- Chintan
Extremely telanted & legand he is the proud of Gujarat


2017-04-21 --- Arti
Pranam,

Great Tribute to the legend. It would add to the glory if you create an option of buying the books from this website. Please also consider creating an ebook or a kindle version of the same.

Thank You


2017-02-18 --- chetanbhai arjunbhai bhoye
very good collection
thanks your work.


2017-02-15 --- vaghela umeshbhai dungarshibha
ગુજરાતી ભાષામાં લોકસાહિત્યના સૌ પ્રથમ સંશોધક અને સંપાદક તરીકે કોણ જાણીતું છે. (A)-PITAMBAR PATEL (B)-KISHANSIH CHAVDA (C)JAVERCHAND MEGHANI (D)JORAVARSINH JADAV
આમાં કયો જવાબ આવે
મો-૮૧૫૪૮૫૮૭૩૧


2017-01-29 --- parbat bharvad.
zhaverchand meghani mahan hata temnu saahity vaachta vaachta teo sumksh ubha rahi ne kaheta hoy tevu lage che.....jay nav nath.. jay sorthi sunto ..jay girnar.......

2016-12-20 --- ભૉવર આશિષકુમાર
આપની આ માહિતી આપતી website માટે આપનો ખુબ આભારવશ છું. ઝવેરચંદ મેઘાણી ના
અવાજમાં તેમના ગાયેલાં ગીતૉ નો સગર્હ એ ખુબ જ સરસ છે. ..